Posts

Showing posts with the label E_book Loard Krishna

E-Book_Lord Krishna & Gita

Image
                                                                       Lord Krishna કૃષ્ણ યાદવ વસુદેવ અને માતા દેવકીના પુત્ર હતા. દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતા કંસે પોતાની બહેન દેવકી અને વસુદેવને કારાગ્રહમાં પૂર્યા હતા, ત્યાં  આઠમા સંતાન કૃષ્ણ નો જન્મ શ્રાવણ વદ આઠમ ને બુધવારની મધ્યરાત્રિએ થયો હતો. માથા પર મોરપીંછ, કાનમાં કરેણના ફૂલ, શરીરે પીતાંબર, ગળામાં વૈજ્યંતિમાળા, શ્રેષ્ઠ નટ ધારણ કરીને વાંસળી વગાડતા ઘનશ્યામ શ્રીકૃષ્ણે વ્રજવાસીજનોને આત્મીય બનાવી દીધાં હતાં. શ્રીકૃષ્ણે પૂતના, ત્રુણાવત, વત્સાસુર, બકાસુર, અઘાસુર, વ્યોમાસુર, કેશી વગેરે રાક્ષસોનો વધ કર્યો હતો. યમુનાના જળને ઝેરી બનાવતા કાળીનાગનું દમન કર્યું હતું. શ્રીકૃષ્ણ  રથ હાંકવાના અને અશ્વવિદ્યાના નિષ્ણાત હતા. જરાસંઘને હરાવી તેઓ મથુરા પાછા આવ્યા અને પછી મથુરા ત્યજી દ્વારિકામાં નિવાસ કર્યો. લોકમાન્યતા મુજબ શ્રીકૃષ્ણને આઠ પટરાણીઓ હતી. રુકમણિ અને સત્યભામા તેમાં મુખ્ય હતી. રાધા-કૃષ્ણ નો સબંધ આદ્યાત્મિક છે. રાધા શ્રીકૃષ્ણની આહલાદક શક્તિ છે. પાંડવોએ શ્રીકૃષ્ણ ના માર્ગદર્શન હેઠળ ઇંદ્રપ્રસ્થ નગર બાંધ્યુ હતું. કૌરવો સાથ